Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

પંચાયતી રાજની સામાન્ય માહિતી




પંચાયતી રાજની સામાન્ય માહિતી

ભારતમાં લોડ રિપનને ‘ સ્થાનિક સ્વરાજના પિતા ’ ગણવામાં આવે છે . 

26 Jan , 1950 ના રોજ બંધારણ અમલમાં આવ્યું : અનુચ્છેદ 10 ( ભાગ - 4 ) માં ગ્રામ પંચાયતની રચના માટેની જોગવાઈ ગાંધીજીના કહેવાથી કરવામાં આવી . 

26 Jan . 1950 બંધારણના અમલ દ્વારા ભાગ - 4 માં ગ્રામ પંચાયતો ( સ્વરાજ એકમો ) નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો . 

2 Oct . 1952 દેશના વડા પ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા સામુહિક વિકાસ કાર્યકમ ની શરૂઆત કરવામાં આવી હતી . 

પંડિત જવાહરલાલ નહેરુએ તેનું નામ બદલીને પંચાયતી રાજ આપ્યું હતું.

2 Oct . 1959 ના રોજ રાજસ્થાનના નાગૌર જિલ્લામાં બગદરી ગામમાં પંડિત જવાહરલાલ નહેરુએ પ્રથમ પેઢીના પંચાયતી રાજનું ઉદ્ધાટન કર્યું.

ઈ . સ . 1961 માં ગુજરાતમાં ગુજરાત પંચાયત અધિનિયમ ઘડાયો . 

1 April 1963 ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ડો . જીવરામ મહેતા દ્વારા ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ અમલમાં મુકાયું.

આમ , ગુજરાત પંચાયતી રાજ અમલમાં મૂકનાર 8મું  રાજય બન્યું.

ઈ . સ . 1991 પી . વી . નરસિંહરાવ સરકાર દ્વારા 73 મો બંધારણ સુધારો પંચાયતી રાજ માટે અને 74 મો બંધારણ સુધારી નગરપાલિકા માટે સંસદમાં સંયુકત પ્રવર સમિતિને સોંપવામાં આવ્યો . 

પંચાયતી રાજ - 73 મો બંધારણીય સુધારી - 1992 માં થયો . જેના અમલ 24 April 1993 થી થયો . 

નગરપાલિકા - 74 મો બંધારણીય સુધારો - 1992 માં થયો જેનો અમલ 1 June 1993 થી થયો .

ગુજરાત પંચાયત અધિનિયમ 1993 બનાવવામાં આવ્યો હતો , જેનો અમલ 15 April 1994 થી કરવામાં આવ્યો .