ચંદ્રવદન ચીમનલાલ મહેતા
નામ : ચંદ્રવદન ચીમનલાલ મહેતા
જન્મ : ૬, એપ્રિલ -૧૯૦૧; સૂરત
અવસાન : ૫, મે – ૧૯૯૧
ઉપનામ : ચાંદામામા
અભ્યાસ : બી. એ.
વ્યવસાય : ‘આકાશવાણી’ પર કાર્યક્રમ નિર્માતા, નિયામક, અધ્યાપક
---------------------------------------------------
જીવન:
👉 પ્રાથમિક શિક્ષણ વડોદરામાં અને માધ્યમિક શિક્ષણ સુરતમાં પૂર્ણ કર્યા બાદ ૧૯૧૯માં તેઓ મૅટ્રિક થયા.
👉 ૧૯૨૪ – મુંબઈઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. થયા.
👉 તેમણે બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો હતો.
👉 ૧૯૨૮ – ‘નવભારત’ના સંપાદક
👉 ૧૯૩૩ થી ૧૯૩૬ – ન્યૂ એરા હાઈસ્કૂલમાં શિક્ષક
👉 ૧૯૩૮ મુંબઈ, ૧૯૫૪ અમદાવાદ
‘આકાશવાણી’ના નિયામક
👉 નિવૃત્તિ બાદ – મ.સ. યુનિવર્સિટી અને ગૂજરાત વિદ્યાપીઠના નાટ્યવિભાગ સાથે સંલગ્ન
👉 આજે તેઓ નાટ્યકલાના વિશ્વવિખ્યાત તદ્વિદ ગણાય છે.
👉 ૧૯૭૮ – ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
👉 ફૉર્બસ ગુજરાતી સભાના પણ પ્રમુખ રહ્યા હતા
--------------------------------------------------
મુખ્ય રચનાઓ:
(નાટક)
અખો , મૂંગી સ્ત્રી , આગગાડી , રમકડાંની દુકાન , નર્મદ , નાગાબાવા , પ્રેમનું મોતી અને બીજાં નાટકો , સીતા , શિખરિણી , કરોળિયાનું જાળું, પાંજરાપોળ વિ.
(વિવેચન)
કવિશ્રી ન્હાનાલાલનાં નાટકો અને ‘શાહનશાહ અકબરશાહ’ની રંગભૂમિ પર રજૂઆત , નાટક ભજવતાં , યુરોપના દેશોની નાટ્યસૃષ્ટિ , જાપાનનું થિયેટર , વિ.
(કવિતા)
યમલ , ઇલા કાવ્યો , ચાંદારાણા
(નવલકથા)
ખમ્મા બાપુ , ડૉન કિહોટે
(નવલિકા)
વાતચકરાવો , મંગલત્રયી
(આત્મકથા)
બાંધ ગઠરિયાં ભા. 1-2 , છોડ ગઠરિયાં વિ.
-------------------------------------------------------
સન્માન:
🔹1936– રણજિતરામ ચંદ્રક
🔹1946– નર્મદ ચંદ્રક
🔹સંગીત નાટક અકાદમી પુરસ્કાર
🔹સાહિત્ય અકાદમી પુરસ્કાર
🔹પદ્મશ્રી (સાહિત્ય માટે)